મન કી બાત Live: 2022ની પહેલી મન કી બાત, PM મોદીએ આ મહાન વિભૂતિને કરી યાદ, કહ્યું શહીદોનું બલિદાન અમર રહે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. 2022ની આ તેની પહેલી 'મન કી બાત' હશે અને આ કાર્યક્રમનો 85મો એપિસોડ હશે.

gujarati.abplive.com Last Updated: 30 Jan 2022 11:46 AM
મન કી બાત Live: . ભારત રત્ન ભૂપેન હજારિકા જીનું ગીત દરેકના કાનમાં ગુંજશે: PM મોદી

ગેંડા હંમેશા આસામી સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. ભારત રત્ન ભૂપેન હજારિકા જીનું ગીત દરેકના કાનમાં ગુંજશે. તેનો અર્થ કાઝીરંગાની આજુબાજુની લીલીછમ જગ્યા, હાથી અને વાઘનું નિવાસસ્થાન. પક્ષીઓનો કલરવ સાંભળો. આસામના હેન્ડલૂમ પર વણાયેલા કપડાંમાં પણ ગેંડાનો આકાર દેખાય છે. જેનો આટલો મોટો મહિમા છે, તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તસ્કરો તેમની હત્યા કરતા હતા.


છેલ્લા 7 વર્ષમાં આસામના વિશેષ પ્રયાસોથી ગેંડાના શિકાર સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરના રોજ, વિશ્વ ગેંડા દિવસના અવસરે, દાણચોરો પાસેથી જપ્ત કરાયેલા 2,400 થી વધુ શિંગડાઓને બાળી નાખવામાં આવ્યા હતા. દાણચોરો માટે આ ભયંકર સંકેત હતો. હવે આસામમાં ગેંડાના શિકારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2013માં 37 ગેંડા, 2020માં 2 અને 2021માં એક ગેંડા માર્યા ગયા હોવાનું નોંધાયું છે.

મન કી બાત Live: મધ્યપ્રદેશમાં ટાઈગર રિઝર્વમાં એક વાઘણના મોતની ઘટનાને કરી યાદ

પીએમ મોદીએ દેશવાસીઓના પ્રાણી અને પર્યાવરણ સાથેના પ્રેમનો ઉલ્લેખ કરતાં વાઘણના મોતની ઘટના વર્ણવી,મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વમાં એક વાઘણે દુનિયાને અલવિદા કહ્યું. વન વિભાગે તેનું નામ ટી-15 અને લોકો તેને કોલરવાળી  વાઘણ નામ આપ્યું હતું. વાઘણના મોતથી . લોકોને એવું લાગ્યું કે જાણે કોઈ પોતાની દુનિયા છોડી ગયું હોય. તેના લોકોએ અંતિમ સંસ્કાર કર્યા. પ્રકૃતિ અને વન્યજીવન પ્રત્યે ભારતીયોના પ્રેમની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. આ વાઘણે 29 બચ્ચાને જન્મ આપ્યો અને 25 બચ્ચાને ઉછેર્યા. ભારતીય દરેક ચેતના સાથે જોડાણ બનાવે છે


મન કી બાત Live: વિરાટની છેલ્લી પરેડ અને વિદાય પર પીએ મોદીએ શું  કહ્યું, જાણો


ગણતંત્ર દિવસની પરેડમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડના ચાર્જર ઘોડા વિરાટે તેમની છેલ્લી પરેડમાં ભાગ લીધો હતો. 2003માં આ ઘોડો રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યો હતો. દરેક વખતે પરેડનું નેતૃત્વ કરે છે. જ્યારે વિદેશી રાજ્યના વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે પણ તેમણે તેમની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે આર્મી ડે પર આર્મી ચીફે વિરાટને સન્માન આપ્યું હતું. તેમની અપાર સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી.

Man ki Baat: મન કી બાત કાર્યક્રમને સંબોધતા શિક્ષણ માટે મળેલા ડોનેશનની વાત ઉલ્લેખ કરતાં આ કાર્યની કરી પ્રશંસા

સમાજના દરેક વર્ગમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ જોવા મળે છે. ત્રિપુરાના તૈમ્મલ પાસે કોઈ જમીન નથી. વર્ષોથી તેમનો પરિવાર નારિયેળ વેચીને ગુજરાન ચલાવે છે. તેમણે તેમના પુત્ર અને પુત્રીને શિક્ષણ આપવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે ત્યાંની શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની પહેલ કરી. પૈસાની અછત હતી. જેમણે નારિયેળ પાણી વેચીને થોડી મૂડી એકઠી કરી હતી, તેઓએ શાળા માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું. આ કરવા માટે ખૂબ જ હૃદય અને સેવાની જરૂર છે.


 


IIT BHU ના ભૂતપૂર્વ વિદ્યાર્થી જય ચૌધરીએ 7.50 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વિવિધ ક્ષેત્રના ઘણા લોકો છે, જેઓ અન્ય લોકોને મદદ કરી રહ્યા છે. મને આનંદ છે કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આવા પ્રયાસો સતત જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પણ આવા ઉદાહરણોની કમી નથી. ગયા વર્ષે અમે સપ્ટેમ્બરમાં વિદ્યાંજલિ શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય દેશની શાળાઓના શિક્ષણમાં સુધારો કરવાનો છે.

મન કી બાત Live: તિરંગાથી સજ્જ બાળકોના પોસ્ટકાર્ડની કહી વાત,

“મધ્ય પ્રદેશના રાયસેનથી 10મા ધોરણમાં ભણેલી ભાવનાએ પોતાનું પોસ્ટકાર્ડને તિરંગાથી સજાવ્યું હતું, તેણે ક્રાંતિકારી શિરીષ કુમાર વિશે લખ્યું હતું. લોરેન્સ ઓફ ગોવા એ આઝાદીના ગાયબ નાયકો વિશે લખ્યું છે. તેણે લખ્યું કે ભીખાજી ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ સૌથી બહાદુર મહિલાઓમાંના એક હતા. તેમણે દેશ-વિદેશમાં ઝુંબેશ ચલાવી. ભીખાજી સ્વતંત્રતા ચળવળની બહાદુર મહિલાઓમાંની એક હતી. તેમણે 1907માં જર્મનીમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ ત્રિરંગાની ડિઝાઇનમાં શ્યામજી કૃષ્ણ વર્માએ તેમનો સાથ આપ્યો હતો. જીનીવામાં શ્યામજીનું અવસાન થયું. તેમની ઈચ્છા હતી કે તેમની અસ્થિઓ ભારત લાવવામાં આવે. આ કામ આઝાદીના બીજા જ દિવસે થવાનું હતું, પરંતુ આ કામ થઈ શક્યું નથી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને આ કામ કરવાનું સૌભાગ્ય મળ્યું”

મન કી બાત Live: બાળ પુરસ્કાર અને પદ્મ અવોર્ડ વિજેતાની કરી પ્રશંસા, ઉત્તરાખંડના બસંતી દેવીની કહાણી જણાવી

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવાના અને પદ્મ ભૂષણ પ્રાપ્ત કરના લોકોના પરાક્રમની પ્રશંસાક કરી હતી તેમણે કહ્યું કે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ નાયકોએ સામાન્ય સંજોગોમાં અસાધારણ કાર્યો કર્યા છે.


ઉત્તરાખંડના બસંતી દેવીના પતિનું નાની વયે અવસાન થયું હતું. તે આશ્રમમાં રહેવા લાગી. તેમણે નદી બચાવવાનું કામ કર્યું અને પર્યાવરણ માટે અસાધારણ કામ કર્યું. મણિપુરની બિનોદેવી દાયકાઓથી સ્થાનિક કલાને સમર્થન આપી રહી છે. એ જ રીતે મધ્યપ્રદેશના અર્જુન સિંહે બૈગા આદિવાસીઓના નૃત્યને જીવંત રાખવા કામ કર્યું

મન કી બાત Live:અમૃત મહોત્સવ દ્રારા દેશ રાષ્ટ્રીય પ્રતીકોને પુન: પ્રતિષ્ટિત કરી રહ્યું છે: pm મોદી

 


PM મોદીએ  મન કી બાત સંબોધતા કહ્યું કે, “ અમે જોયું કે ઈન્ડિયા ગેટ પાસેની અમર જવાન જ્યોતિ અને નજીકના નેશનલ વોર મેમોરિયલને મર્જ કરવામાં આવ્યા હતા. આ ભાવુક પ્રસંગે શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. કેટલાક ભૂતપૂર્વ સૈન્ય સૈનિકોએ મને લખ્યું હતું કે શહીદોની સ્મૃતિ સમક્ષ પ્રગટાવવામાં આવતી જ્યોત શહીદોના અમરત્વનું પ્રતીક છે. જ્યારે પણ તમને તક મળે, ચોક્કસપણે નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લો. તમારા પરિવાર અને બાળકોને લઈ જાઓ. આપને તે  અલગ ઊર્જા અને પ્રેરણા અનુભવ કરાવશે“ 


 


આ અવસરે પીએમ મોદીએ બાપુને પ્રણામ કરતાં દેશવાસીઓને તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે, આ કાર્યક્રમ એવા સમયે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે જ્યારે દેશમાં કોરોના મહામારી હોવા છતાં, દેશની લગભગ 75 ટકા પાત્ર વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. આ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને તેમના સંદેશાઓ રેકોર્ડ કરીને મોકલવાની અપીલ કરી હતી. જેમાં તેમણે લોકોને વિષયો સાથે સંબંધિત અને તેના સંદર્ભમાં કેટલીક પ્રેરણાત્મક વાર્તાઓ શેર કરવા જણાવ્યું હતું.

મન કી બાત પહેલા PM મોદીએ મેસેજ રેકોર્ડ કરવા કર્યો હતો અનુરોધ, છેલ્લે 26 ડિસેમ્બર 2021ના રોજ કરવામાં આ્વ્યું હતું સંબોધન

19 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' માટે તેમના સૂચનો અને મંતવ્યો રેકોર્ડ કરવા કહ્યું હતું. એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું કે આ મહિનાની 30મીએ 2022નો પહેલી 'મન કી બાત' કાર્યક્રમ યોજાશે. મને ખાતરી છે કે તમારી પાસે પ્રેરણાદાયી જીવન વાર્તાઓ અને વિષયોના સંદર્ભમાં શેર કરવા માટે ઘણું બધું  હશે, તેમને MyGov.in અથવા NaMo એપ પર શેર કરો. 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ  રેકોર્ડ પણ કરી શકો છો."


 


છેલ્લે 26 ડિસેમ્બર 2021ના રોજ સંબોધવામાં આવ્યું હતું


ગત વર્ષે 26 ડિસેમ્બરે પીએમ મોદીએ છેલ્લી વખત 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જેમાં તેમણે કોરોના વાયરસ સહિત ઘણા વિષયો પર વાત કરી હતી. આ ઘટના મહિનાના છેલ્લા રવિવારે થાય

બ્રેકગ્રાઉન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. 2022ની આ તેની પહેલી 'મન કી બાત' હશે. આજે આ કાર્યક્રમનો 85મો એપિસોડ હશે. આ પહેલા વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, આ મહિને ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને સવારે 11:30 વાગ્યે 'મન કી બાત' શરૂ થશે.


 


કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક, આકાશવાણી સમાચાર વેબસાઇટ અને ન્યુઝ ઓન  એર મોબાઇલ એપ કરવામાં આવશે, આ કાર્યક્રમ AIR ન્યુઝ, દુરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને સૂચના પ્રસારણ મંત્રાલયની યૂટ્યૂબ ચેનલ પર પણ કરાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.