Opposition Meeting in Bengaluru: લોકસભા ચૂંટણી-2024 પહેલા બેંગલુરુમાં આજ રોજ યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં શરદ પવાર ભાગ લેશે નહીં, જેની પુષ્ટિ એનસીપીના પ્રવક્તા મહેશ ભરત તાપસેએ કરી છે. જો કે શરદ પવાર અગાઉ 23 જૂનની બેઠકમાં સામેલ હતા. મહેશ ભરત તાપસેએ એમ પણ જણાવ્યું કે શરદ પવાર અને સુપ્રિયા સુલે 17 જુલાઈએ નહીં પરંતુ 18 જુલાઈએ યોજાનારી બેઠકમાં હાજરી આપશે.






વિપક્ષની બેઠકમાં શરદ પવાર નહી રહે હાજર!


ANI અનુસાર NCP પ્રવક્તા મહેશ ભરત તાપસેના જણાવ્યા અનુસાર શરદ પવાર 17 જુલાઈએ બેંગલુરુમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેશે નહીં, પરંતુ 18 જુલાઈ મંગળવારે યોજાનારી બેઠકમાં શરદ પવાર અને સુપ્રિયા ભાગ લેશે. આ સિવાય એબીપી ન્યૂઝ સાથે વાત કરતા સંજય રાઉતે એમ પણ કહ્યું કે શરદ પવાર 18 જુલાઈએ બેંગલુરુમાં ચાલી રહેલી વિપક્ષની બેઠકમાં ભાગ લેશે.






મીટીંગનો મહત્વનો હેતુ શું છે


અગાઉ 23 જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની પ્રથમ બેઠકમાં 15 પક્ષોએ ભાગ લીધો હતો. પીટીઆઈ એજન્સી અનુસાર વિપક્ષની આ બેઠક શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં વિભાજન અને પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં વ્યાપક હિંસા વચ્ચે થઈ રહી છે, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમ અને ડાબેરી પક્ષોએ બંગાળમાં ચૂંટણી હિંસા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી છે. પીટીઆઈ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષો ભાજપની નીતિઓ વિરુદ્ધ દેશભરમાં સંયુક્ત આંદોલનની યોજના બનાવી રહ્યા છે.