= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ISRO Solar Mission: આદિત્ય L1નું લોન્ચિંગ જોવા માટે શ્રીહરિકોટામાં મોટી સંખ્યામાં લોકો હાજર. ISROના સૌર મિશન આદિત્ય L-1ના પ્રક્ષેપણને જોવા માટે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHAR, શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Launching: આદિત્ય L1નું થયું લોન્ચ, ભારતનું પ્રથમ સૌર અંતરિક્ષ મિશન આજે ફરીએ એકવાર ઇસરોએ ઇતિહાસ રચતા આદિત્ એલવનનું પક્ષેપણ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભારતે પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું. આદિત્ય L1 સૂર્યનો વિગતવાર અભ્યાસ કરવા માટે સાત અલગ-અલગ પેલોડ વહન કરે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Solar Mission: આદિત્ય L1 પર ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું, પડકારરૂપ તેમજ ફાયદાકારક' આદિત્ય L1 મિશન પર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક માયલાસ્વામી અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે, "L1 બિંદુને હાંસિક કરીને તેની આજુબાજુ એક કક્ષ બનાવવું અને સટીક શોધની સાથે પાંચ વર્ષ સુધી ટકી રહેવું તે ટેકનિકલ રીતે પણ મોટા પડકારરૂપ છે. જો કે તે વૈજ્ઞાનિક રીતે ફાયદાકારક બનશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Solar Mission: આજનો દિવસ મહત્વપૂર્ણ ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર આરસી કપૂરે આદિત્ય L1 લોન્ચ પર કહ્યું, "આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આદિત્ય L1 પરનું સૌથી મહત્વપૂર્ણ સાધન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. સામાન્ય રીતે, તેનો અભ્યાસ ફક્ત સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ થઈ શકે છે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ISRO Solar Mission: ગ્રહનું હવામાન જાણવામાં મદદ કરશે આ સૌર મિશન: JNP પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રા જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમ, દિલ્હીના પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રાએ આદિત્ય L1 પર કહ્યું, 'અન્ય દેશોની અવકાશ એજન્સીઓ સૂર્ય પર અવલોકનો કરી ચૂકી છે. ભારતમાં સૂર્યની વેધશાળા નથી. આદિત્ય L1 સાથે, ભારત સૂર્ય પર અવલોકનો પણ કરી શકશે, જે અમને અવકાશ હવામાન અને આગામી અવકાશ મિશનને સમજવામાં મદદ કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ISRO અને ભારત માટે આ એક મોટું મિશન છે - ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ISRO Solar Mission: આદિત્ય L1 થોડા કલાકોમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. આ અંગે ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિતે જણાવ્યું હતું કે, "ઈસરો અને ભારત માટે આ એક મોટું મિશન છે. નવી સ્પેસ પોલિસીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સ્પેસ ઈકોનોમીમાં ઈસરો મોટી ભૂમિકા ભજવશે. તેથી, ઈસરોએ આ એક મોટું મિશન હાથ ધર્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya-L1 Solar Mission: આદિત્યની 'સારથી' PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) 30 વર્ષથી ઇસરો ઉપગ્રહોને અવકાશમાં લઈ જાય છે. PSLV આદિત્ય એલ-1ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર લઈ જશે. તેને ઈસરોનું 'વર્કહોર્સ' કહેવામાં આવે છે. PSLV એ એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 2008માં ચંદ્રયાન અને 2013માં મંગલયાન. આ ISROનું સૌથી ભરોસાપાત્ર રોકેટ છે અને આદિત્ય એલ-1 આજે તેના 59માં મિશન પર લઈ જશે. તેની ક્ષમતા 1750 કિગ્રા વજન 600 કિમી સુધી લઈ જવાની છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ISRO Solar Mission: સૂર્ય પર ઉપગ્રહો મોકલતા દેશો અમેરિકા- પાયોનિયર 5- 1960, જર્મની અને અમેરિકાનું મિશન- હેલિઓસ- 1974, જાપાન- હિનોટોરી- 1981, યુરોપિયન સ્પેસ એજન્સી- યુલિસિસ- 1990 અને ચીન- AS0S- 2022.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આદિત્ય L1ના સફળ પ્રક્ષેપણ માટે વારાણસીમાં હવન આજે, શ્રીહરિકોટાથી ISROના આદિત્ય L1 મિશનના સફળ પ્રક્ષેપણ માટે વારાણસીમાં હવન કરવામાં આવી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Laucnhing: લોંચ જોવા માટે લોકો ચેન્નાઈથી શ્રીહરિકોટા પહોંચ્યા આદિત્ય L1 મિશનનું પ્રક્ષેપણ નિહાળવા માટે ચેન્નાઈથી શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચેલી મહિલાએ કહ્યું, “અમને ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે, અમે પ્રક્ષેપણ જોવા માટે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ. આ પહેલી વાર છે, હું અહીં આવી છું. હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Laucnhing: લોંચ જોવા માટે લોકો ચેન્નાઈથી શ્રીહરિકોટા પહોંચ્યા આદિત્ય L1 મિશનનું પ્રક્ષેપણ નિહાળવા માટે ચેન્નાઈથી શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચેલી મહિલાએ કહ્યું, “અમને ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે, અમે પ્રક્ષેપણ જોવા માટે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ. આ પહેલી વાર છે, હું અહીં આવી છું. હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Mission: નાસાએ પ્રથમ વખત વર્ષ 1960માં પાયોનિયર-5 લોન્ચ કર્યું હતું સૂર્ય વિશે જાણવા માટે નાસાએ પ્રથમ વખત વર્ષ 1960માં પાયોનિયર-5 લોન્ચ કર્યું હતું. હાલમાં 4 અવકાશ મિશન લેગ્રેન્જ પોઈન્ટ પાસે છે. વર્ષ 2021માં પાર્કર સોલર પ્રોબ કોરોનામાંથી પસાર થયું હતું, જે સૌથી નજીક હતું. સૌથી સસ્તું સૌર મિશન ભારતનું છે, જેની કિંમત લગભગ રૂ. 379 કરોડ છે. 27 વર્ષથી, L-1 પર નાસા-યુરોપિયન એજન્સીના ઉપગ્રહો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Launch Live: સૂર્યની યાત્રા 5 તબક્કામાં થશે પૃથ્વીથી સૂર્ય સુધીની યાત્રા પાંચ તબક્કામાં હશે, જેમાં પ્રથમ તબક્કો - પીએસએલવી રોકેટથી પ્રક્ષેપણ, બીજો તબક્કો - પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષાનું વિસ્તરણ, ત્રીજો તબક્કો - પ્રભાવના ક્ષેત્રની બહાર, ચોથો તબક્કો. - ક્રુઝ તબક્કો અને પાંચમો તબક્કો - હેલો ઓર્બિટ. L1 એ બિંદુ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya-L1 Solar Mission: સૂર્ય સુધી ભારતની યાત્રા ભારત આગામી કેટલાક મહિનામાં સૂર્ય સુધી પ્રવાસ કરશે. આ માટે ISRO આદિત્ય L1 મિશન શરૂ કરી રહ્યું છે. તેનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય L1 તેના ગંતવ્ય લેગ્રેન્જ-પોઇન્ટ પર પહોંચશે, જેનું અંતર 1.5 મિલિયન કિમી છે. તેને પહોંચવામાં 127 દિવસ લાગશે અને તેનું બજેટ લગભગ 379 કરોડ રૂપિયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૂર્ય મિશનનો હેતુ શું છે? ઈસરોના સૂર્ય મિશનનો ઉદ્દેશ્ય સૂર્યના કોરોનામાંથી નીકળતી ગરમી અને પવનનો અભ્યાસ કરવાનો છે, સૌર વાતાવરણને સમજવાનો પ્રયાસ કરવાનો છે, સૌર વાવાઝોડાની ઘટનાનું કારણ શોધવાનો છે, તેમજ સૌર તરંગો અને પૃથ્વી પર તેની અસર શોધવાની સાથે વાતાવરણ અને અવકાશમાં સૌર કિરણોત્સર્ગની અસરોની તપાસ કરવાનોછે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya-L1 Solar Mission: જ્યાં પહોંચશે L-1 સૂર્યયાન, એ બિંદુ જાણો સૂર્યયાનનું L-1 બિંદુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એક કાલ્પનિક બિંદુ છે, જે પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે. અહીં પૃથ્વી-સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લગભગ અસર કરતું નથી. ઈંધણના ઓછા વપરાશને કારણે તમને વધુ સમય મળશે. ગ્રહણ દરમિયાન સૂર્ય છુપાશે નહીં, 24 કલાક દેખાશે. સૂર્યમાંથી નીકળતા તોફાનો અહીંથી પસાર થાય છે. તેનું નામ વૈજ્ઞાનિક લુઈસ લેગ્રેન્જના માનમાં રાખવામાં આવ્યું હતું. નાસા-યુરોપિયન એજન્સીના ઉપગ્રહો અહીં 27 વર્ષથી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Aditya L1 Launch Live: આદિત્ય L1ને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે શ્રીહરિકોટાથી આદિત્ય-L1 મિશન લોન્ચ કરશે. જેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.