મોરબીઃ ગુજરાતમાં કોરોનાને લઈને હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગુટખા અને પાનમસાલાના બંધાણીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે, સરકારે ગુજરાતમાં પાનના ગલ્લા ખોલવા પર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે મોરબીમાં પાનમાવાની એજન્સીમાં ચોરોએ ધાડ પાડી છે.


મોરબીમાં સાંમે કાંઠે આવેલ ઝલરીયા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજીત 1.50 ના મુદામાલની ચોરી કરી છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં પાન માવાનું મોટું વ્યસન છે. જોકે, લોકડાઉન વચ્ચે પાન માવા મળતાં નથી. ત્યારે આ ચોરીની ઘટના સામે આવી છે.