રાજકોટ:   આજે દિવાળીના પર્વ પર બધા પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે. જો કે, આ ઉજાસના પર્વ પર જે લોકોના જેલમાં બંધ છે તેમના પરિવારમાં ઉદાસી જોવા મળે છે. કારણ કે આવા પરિવારો પોતાના સભ્ય વિના દિવાળીની ઉજવણી કરવી પડે છે. પરંતુ આ વખતે સરકારે કેટલાક કેદીઓને દિવાળી પર પેરોલ આપીને મોટી ભેટ આપી છે. દિવાળીના તહેવાર ઉપર ઘરે જવા માટે 15 દિવસની પેરોલ આપવામાં આવી છે.


રાજકોટ મધ્યસ્થ જેલમાં 60 કેદીઓની પેરોલ મંજુર કરવામાં આવી છે. દિવાળીની રજાને લઈને કેદીઓના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેદીઓએ સરકારનો આભાર માન્યો હતો. અલગ અલગ કેદીઓએ કહ્યું કે,  સરકારે અમારી સામું જોયું, દિવાળીનો તહેવાર મનાવવા માટે રજા આપી. પોતાના સ્વજનો ઘરે આવતા પરિવારના સભ્યોની આંખમાંથી આંસુ છલકાયા હતા.


ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 17 IPS અધિકારીઓની બદલી



  • રાજકુમાર પાંડિયનની રેલવેમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ રેલેવમાં બદલી

  • ખુર્શીદ અહેમદની ગાંધીનગરમાં પ્લાનિંગ ઓફ મોનિટરાઈઝેશનમાં બદલી

  • અજય ચૌધરીની સ્પે.બ્રાંચમાં એડિશનલ પોલીસ ઓફ કમિશ્નર તરીકે બદલી

  • મયંક ચાવડાની જૂનાગઢ રેંજ આઈજી તરીકે થઈ બદલી

  • ભાવનગર રેંજ આઈજી અશોક યાદવની રાજકોટમાં આઈજીપી તરીકે થઈ બદલી

  • સંદીપસિંહની વડોદરાના આઈજીપી તરીકે થઈ બદલી

  • ગૌતમ પરમારની ભાવનગર રેંજ આઈજી તરીકે થઈ બદલી

  • ડી.એચ.પરમારની અમદાવાદ રક્ષા યુનિવર્સિટીમાં થઈ બદલી

  • એમ.એસ.ભરાડાની અમદાવાદ સેક્ટર-2 તરીકે થઈ બદલી

  • ચિરાગ કોરડિયાની પંચમહાલ ગોધરા રેંજ આઈજી તરીકે થઈ બદલી

  • મનોજ નિનામાની વડોદરામાં ક્રાઈમ એન્ડ ટ્રાફિક ડિપાર્ટમેંટમાં થઈ બદલી

  • એ.જી.ચૌહાણની અમદાવાદ સિટીમાં એડિશનલ કમિશ્નર ઓફ ટ્રાફિક તરીકે થઈ બદલી

  • કે.એન.ડામોરની સુરતમાં એડિશનલ સેક્ટર-2 તરીકે થઈ બદલી

  • નિરજ બડગુર્જરની સેક્ટર-1 અમદાવાદ તરીકે થઈ બદલી


ભારતના ચૂંટણી પંચે શનિવારે ગુજરાતના સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી હતી. ચૂંટી પંચે કમિશન દ્વારા નિર્ધારીત શતો હેઠળ બદલી પોસ્ટિંગ સંબધિત અહેવાલ ફાઇલ ન કરવાના કારણે નોટિસ મોકલીને રિપોર્ટ માંગ્યો હતો. વિગતો મુજબ અધિકારીઓની સ્થિતિ સ્પષ્ટ કરવા કહેવાયું હતું કે આ મામલે નિર્દેશો જારી કરવા છતાં સમય મર્યાદા પૂરી થવા છતાં અહેવાલ શા માટે સબમિટ નથી કરવામાં આવ્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ અને ગુજરાત સરકારને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષથી સતત એક જિલ્લામાં ત્રણ વર્ષ પસાર કર્યા ય તેવા અધિકારીઓની બદલીનો નિર્દેશ આપ્યો હતો.


રાજ્યમાં ચૂંટણા પહેલા ઘણા વિભાગોમાં સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તાજેતરમાં 76 ડીવાયએસપીની બદલી કરાઈ હતી. 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલી થઈ હતી. આ પહેલા મહેસૂલ વિભાગના 7 ડેપ્યુટી કલેકટરની બદલીનો આદેશ અપાયો હતો.