રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના દર્દીઓના સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના 22ના મોત થયા છે. જેમાં કેશોદ-1, કોડીનાર-1, ગીર સોમનાથ-1, વંથલીના1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.


રાજકોટમાં સારવાર લઈ રહેલા 26 દર્દીના 24 કલાકમાં થયા મૃત્યુ થયા છે. જોકે, ડેથ ઓડિટ બાદ જાહેર કરવામાં આવશે કેટલા દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા 6 દિવસમાં જ રાજકોટ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 96 દર્દીના મૃત્યુ થયા છે. સતત વધતો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે.