રાજકોટનો દરજીકામ કરતો યુવક કઈ રીતે બન્યો કોરોના વાયરસના ચેપનો ભોગ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Mar 2020 10:18 AM (IST)
રાજકોટના આ 32 વર્ષીય યુવકને મક્કા મદીના અથવા તો યુએઈથી ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આ બંને દેશમાંથી ચોક્કસ કઈ રીતે ચેપ લાગ્યો તે સ્પષ્ટ નથી પણ અહીંથી તે ચેપ લઈને આવ્યો તે સ્પષ્ટ છે
રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાઈરસના બે કેસ પોઝિટિવ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારે કરી છે. આ પૈકી એક કેસ રાજકોટમાં નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા યુવકને નોવેલ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારે કરી છે. રાજકોટના આ 32 વર્ષીય યુવકને મક્કા મદીના અથવા તો યુએઈથી ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આ બંને દેશમાંથી ચોક્કસ કઈ રીતે ચેપ લાગ્યો તે સ્પષ્ટ નથી પણ અહીંથી તે ચેપ લઈને આવ્યો તે સ્પષ્ટ છે. આ યુવક 21 ફેબ્રુઆરીએ મક્કા મદીના નમાઝ પઢવા ગયો હતો. ઉમરાહ માટે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યા બાદ આ યુવક યુએઈ થઈને 8 માર્ચે મુંબઈ ઉતર્યો હતો. તેની સાથે તેના પરિવારજનો પણ હતા. ટ્રેન દ્વારા એ લોકો રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પાછા આવ્યાના ચાર દિવસ પછી એટલે કે 12 માર્ચથી યુવકને હાઇ ગ્રેડ ફીવર (ખૂબ તાવ), બેચેની તથા શ્વાસ લેવામાં તકલીફ જણાયા હતા. આ ઉપરાંત, મૂડ ચેન્જીસ સાથે ચિડચિડિયાપણું આવી ગયું હતું. તેના કારણે સારવાર માટે જતાં તેને આઈસોલેશનમાં રાખીને તેના ટેસ્ટ કરાવાયા હતા. તેમાં તેનો ટેસ્ટ પોઝિટવ આવતાં તેને હવે આઈસોલેશનમાં રખાયો છે.