રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને આ વખતે યુવાનો પણ કોરોનાનો ભોગ બનીને મોતને ભેટી રહ્યાં છે તેથી લોકોમાં હાહાકાર છે. આવી જ એક ઘટનામાં સૌરાષ્ટ્રના ભાજપના યુવા નેતાનો કોરોનાએ ભોગ લીધો છે. કમનસીબી એ છે કે, આ યુવા નેતાની સાથે તેમના પિતાનું પણ કોરોનાના કારણે નિધન થયું છે.


રાજકોટ જિલ્લાના ભાયાવદરના શહેર ભાજપ ભૂતપૂર્વ પ્રમુખ મિતેષ અમૃતિયાનું કોરોનાના કારણે નિધન થયું છે.  તેમના પિતા રમેશભાઇ અમૃતિયાનું પણ કોરોનાના કારણે નિધન થયું છે. ભાજપના  આ યુવા આગેવાનના નિધનથી ભાયાવદર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતા પુત્ર બન્નેનો કોરોનાએ ભોગ લીધો તેથી અમૃતિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 




રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી રહી છે. ત્યારે જ એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ ડિસ્ચાર્જ દર્દીઓ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 1760 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો સુરત શહેરમાં ગઈકાલે એક જ દિવસમાં 1369 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે.  સોમવારે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. રાજ્યમાં સોમવારે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461  પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.


ગુજરાતમાં ભાજપના કયા ધારાસભ્યએ લોકડાઉનની માંગ કરી ? જાણો મોટા સમાચાર


Coronavirus Cases India:  કોરોનાનું કેપિટલ બન્યું ભારત, સતત છઠ્ઠા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ કેસ