કોરોનાને કાબૂમાં લેવા માટે ગોંડલમાં આવતીકાલતી એક સપ્તાહ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક સંસ્થા અને વેપારીઓએ તથા આગેવાનોએ આ નિર્ણય લીધો છે. પાલિકા અને માર્કેટ યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે.
મહત્વની વાત એ છે કે, ગોંડલમાં અત્યાર સુધી એક હજારથી પણ વધારે કેસ આવ્યા છે. જેમાં 60થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ગોંડલની આસપાસના ગામડાંઓમાં પણ હવે ધીમે ધીમે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.