Rajkot: પ્રધાનમંત્રીના રાજકોટ પ્રવાસ પહેલા શહેરમાં જીલેટીન સ્ટીકની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે પોલીસ પણ દોડતી થઈ છે તાત્કાલીક ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એભલભાઇ જલુની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. ગત 6 ઓક્ટોબરના રોજ ફરિયાદીની કંપનીના રૂમમાં એક્સ્પોઝિવ (ટોટા) ની સાત પેટી કિંમત રૂપિયા 21,000 તથા બ્લાસ્ટિંગ કેપ 250 નંગ તથા બ્લાસ્ટિંગ માટેના 1500 મીટર વાયર મળી કુલ 40,500 ના મુદ્દામાલની ચોરી થયા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ચોરી ઘટનાથી રાજકોટ પોલીસ દોડતી થઈ છે.


સૌર ઉર્જાથી ચાલતું ભારતનું પ્રથમ ગામ બન્યું મોઢેરા


PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મહેસાણાના મોઢેરા ગામમાં પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ મોઢેરાને ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, આજે મોઢેરા માટે, મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જા સર્જાઈ છે. તેમણે કહ્યું કે વીજળી, પાણીથી રોડ, રેલવે, ડેરીથી લઈને કૌશલ્ય વિકાસ અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.


પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય ગ્રામ અને મોઢેરાને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અહીંના લોકો કહે છે કે ક્યારેય વિચાર્યું નહોતું કે આ સપનું પણ આપણી આંખો સામે સાકાર થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જે મોઢેરાને સદીઓ પહેલા આક્રમણકારોએ માટીમાં ભેળવવા માટે ઘણા આક્રમણો કર્યા હતા, જે મોઢેરા પર વિવિધ અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા, તે મોઢેરા હવે તેની પૌરાણિક કથા તેમજ આધુનિકતા માટે વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે."


"સરકાર સૌર ઉર્જા માટે મદદ કરી રહી છે"


વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ગુજરાતની શક્તિ છે, જે આજે મોઢેરામાં દેખાઈ રહી છે, તે ગુજરાતના ખૂણે-ખૂણે હાજર છે. પીએમએ વધુમાં કહ્યું કે અત્યાર સુધી એવું થતું હતું કે સરકાર વીજળી ઉત્પન્ન કરતી હતી અને લોકો તેને ખરીદતા હતા. કેન્દ્ર સરકાર લોકો તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવે તે માટે પ્રયાસ કરી રહી છે. દેશમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.






સૌર ઉર્જાથી ચાલતું ભારતનું પ્રથમ ગામ બન્યું મોઢેરા


જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને સાત દિવસ ચોવીસ કલાક સૌર ઉર્જાનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ ગામ જાહેર કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મોઢેરા ગામ 'સૂર્ય મંદિર' માટે પ્રખ્યાત છે, હવે તે સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે પણ ઓળખાશે. PM મોદીએ તેમના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતા છેલ્લા બે દાયકાથી મને આશીર્વાદ આપી રહી છે અને મારી જાતિ જોયા વિના મને ચૂંટણી જીતાડ્યો છે.