Edible Oil Price Rises: દિવાળીના તહેવાર પહેલા જ રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલનો ડબ્બો 3000 નજીક પહોંચવા આવ્યા છે. સિંગતેલના જબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો થતાં ભાવ 2925 પર પહોંચ્યો છે. બે દિવસમાં સિંગતેલ અને કપાસિયાના ડબ્બાના ભાવમાં 45 રૂપિયાનો વધારો થયો છે.


કેમ થઈ રહ્યો છે વધારો


હાલ સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની ધૂમ આવક થઈ રહી છે તેમ છતાં તેલના ભાવમાં વધારો થતાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના યાર્ડમાં ભેજવાળી મગફળીની આવક વધી છે, પરંતુ પીલાણ માટે ઓછી મગફળી આવતાં માલની અછત વચ્ચે ભાવ વધારો થયો છે. કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો છે અને ડબ્બો 2285 થી 2315 સુધી પહોંચ્યો છે.


તહેવારો પહેલા જ ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાની ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.



વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં


વડાપ્રધાન નરેન્દ્ર મોદી  9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. મોઢેરાને ભારતના સૌપ્રથમ સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે જાહેર કરશે.


પીએમ મોદીનું 9 મી ઓક્ટોબરનું શિડ્યૂલ


સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન.


તેઓ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.


સાંજે 6:45 કલાકે મોઢેરા માતાના મંદિરે પહોંચશે.


સાંજે 7:30 કલાકે મોઢેરા સૂર્ય મંદિર જશે.


રાત્રે 9 વાગે અમદાવાદ પરત ફરશે.


રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.


10 ઓક્ટોબરે આવું છે પીએમ મોદીનું શિડ્યૂ


11.00 કલાકે ભરૂચના આમોદમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોન્ચિં


3.15 કલાકે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદઘાટ્ન


5.30 કલાકે જામનગરમાં પ્રોજેક્ટ્સનું લોકાર્પણ શિલાન્યાસ


11મી ઓક્ટબરનો પીએમનો શું છે કાર્યક્રમ


2.15 કલાકે અમદાવાદ સિવિલના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે


સાંજે 5 કલાકે મધ્યપ્રદેશ જવા રવાના થશે


આ પણ વાંચોઃ


India Corona Cases Today: ભારતમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ 1.15 ટકા, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ