રાજકોટઃ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ભાજપ અધ્યક્ષ બન્યા પછી સી.આર. પાટીલે ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો છે. તેમણે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી છે. ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમણે ભાજપના નેતાઓને ટિકિટ મુદ્દે સીધી ચેતવણી આપી છે.


ભાજપનાં ટિકિટ વાંચ્છુઓને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સીધી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હું જ સક્ષમ છું, મને ટિકિટ આપો એવો ભ્રમ રાખવો નહીં. આવો ભ્રમ રાખશો તો દુઃખી થશો. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની સોમનાથ, જુનાગઢ બાદ રાજકોટમાં પણ કાર્યકર્તાઓને જૂથબંધીમાં ન પડવા કહ્યું હતું.

પાટીલે ચેતવણી આપતા કહ્યું હતું કે, કોઈ નેતા તમને એવું કહે આને ટિકિટ મળી છે અને તેને પાડી દેવાનો છે, તો એમનું સાંભળવું નહીં.