ભાજપનાં ટિકિટ વાંચ્છુઓને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સીધી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હું જ સક્ષમ છું, મને ટિકિટ આપો એવો ભ્રમ રાખવો નહીં. આવો ભ્રમ રાખશો તો દુઃખી થશો. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની સોમનાથ, જુનાગઢ બાદ રાજકોટમાં પણ કાર્યકર્તાઓને જૂથબંધીમાં ન પડવા કહ્યું હતું.
પાટીલે ચેતવણી આપતા કહ્યું હતું કે, કોઈ નેતા તમને એવું કહે આને ટિકિટ મળી છે અને તેને પાડી દેવાનો છે, તો એમનું સાંભળવું નહીં.