રાજકોટ: કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવ્યા પછી હવે બીજી લહેરની અંતનો આરંભ થયો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. જ્યારે રાજકોટ જીલાના 50 ટકાથી વધુ ગામોમાં છેલ્લા વીકમાં પોઝિટિવ કેસ  નથી નોંધાયા. છેલ્લા અઠવાડિયામાં જિલ્લાના 605 માંથી 410 ગામોમાં પોઝિટિવ કેસ નથી નોંધાયા.


કયા તાલુકાના કેટલા ગામો થયા કોરોનામુક્ત?


- રાજકોટ જિલ્લાના 145 ગામ થયા કોરોના મુક્ત


- રાજકોટ તાલુકાના 44 ગામો કોરોના મુક્ત થયા


- પડધરી તાલુકાના 14  ગામો થયા કોરોના મુક્ત 


- લોધિકા તાલુકાના 14 ગામો થયા કોરોના મુક્ત


- જેતપુર તાલુકાના 4 ગામ થયા કોરોના મુક્ત


- ગોંડલ તાલુકાના 20 ગામ થયા કોરોના મુક્ત


- કોટડા સાંગાણી તાલુકાના 23 ગામ થયા કોરોના મુક્ત


- જસદણ તાલુકાના 23 ગામ થયા કોરોના મુક્ત


- વીંછીયા તાલુકાના 22 ગામ થયા કોરોના મુક્ત


- ધોરાજી તાલુકાના 6 ગામ થયા કોરોના મુક્ત


- ઉપલેટા તાલુકાના 15 ગામ થયા કોરોના મુક્ત


- જામકંડોરણા તાલુકાના 4 ગામ થયા કોરોના મુક્ત


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 1871 નવા કેસ નોંધાયા છે અને 25  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


 


રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40  ટકા છે. 


 


કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. જ્યાં ગઈકાલે નવા કેસના સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં પાટણમાં 8, છોટા ઉદેપુરમાં 5, તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, દાહોદમાં 2, મોરબીમાં 2 અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ સાત જિલ્લામાંથી માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાટણમાં 36, છોટા ઉદેપુરમાં 10, તાપીમાં 16, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 106, મોરબીમાં 14 અને ડાંગમાં 15 લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા હતા.