રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં મધ્યમ વર્ગ મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા. રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.




આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો પણ જાણ્યા હતા. લોકોએ કહ્યું આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ ગેરેન્ટી અમને અચૂક મળશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન થોડા વિસ્તારમાં કેજરીવાલનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.




Gujarat Election : જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવેઃ કેજરીવાલ


રાજકોટઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સેને સંબોધતાં  સુરતની ઘટનાને લઈને કેજરી વાલે આક્રમ પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યું આ ગુજરાત અને દેશની સંસ્કૃતિ નથી. જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે.


સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જાનલેવા હુમલો કર્યો. કેજરીવાલે કહ્યું કે અમે કોંગ્રેસ નથી અમે હિંમતથી સામનો કરીશું.હવે આ લોકો જનતા પર હુમલોઓ કરાવશે. પણ તમે સંયમ રાખજો. આ લોકો પત્રકારોને ફિટ કરાવી દેશે. રાજકોટમાં પત્રકાર પર પોલીસ ફરિયાદને લઈને કર્યા આકારા પ્રહારો.


આ વખતે ઝાડું નું બટન દબાવજો. હું એક જ મહિનામાં તમામ વચનો પુરા કરીશ. પોલીસ ગ્રેડ પે લઈને સરકારે શરતો રાખી. સુરતમાં 12 માંથી 7 સીટ આમ આદમી પાર્ટીની આવશે . ભુજમાં ભાજપની સભામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ લોકોને કહ્યું, હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરને મારી આપીલ છે કે તમે આ દરરોજ સવારીમાં લોકોને કહો, હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. ભાજપના પેઈજ પ્રમુખો અમારી સાથે જોડાયા. શુ આપ્યું તમને ભાજપે. તમે ભાજપમાં રહો કામ અમારા માટે કરો. ગુજરાતમાં જબબરજસ્ત માહોલ બની ગયો. કાંઈક તો અમારા પર ભગવાનના આશિર્વાદ. મીડિયાવાળાને પણ આ લોકો ધમકાવે.