Rajkot News: રાજકોટ ઢોર પકડ પાર્ટી અને પશુ માલિક વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે. ગાયત્રી નગરમાં કેટલીક મહિલાઓએ ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ગાયત્રી નગર વિસ્તારમાં આ ઘટના બની જ્યારે મનપાની ઢોર પકડ પાર્ટી ગાયત્રી નગર વિસ્તારમાં ઢોર પકડવા માટે પહોંચી હતી. ઢોર પકડ પાર્ટી પહોંચે તે પહેલા જ પશુ માલિકો દ્વારા પશુને ઘરમાં પુરવાનો પ્રયત્ન કરાયો હતો. એ સમયે પશુઓને પકડતા કેટલીક મહિલાઓએ માથાકૂટ કરી હતી. મામલો ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.


ઢોર પકડ પાર્ટી પર હુમલા અને ઘર્ષણના બનાવ


તારીખઃ 7 ઓક્ટોબર 2023


સ્થળઃ અમદાવાદ


લાંભામાં ઢોર પકડવા આવવું નહીં તેમ


કહી ઢોર પાર્ટી પર હુમલો,2 સામે ફરિયાદ


તારીખઃ 5 ઓક્ટોબર 2023


સ્થળઃ રાજકોટ


ગાંધીગ્રામમાં ઢોર પકડવા ગયેલી પાર્ટી


પર 20થી વધુ લોકોનો હુમલો, પાંચ કર્મી ઈજાગ્રસ્ત


તારીખઃ 22 સપ્ટેમ્બર 2023


સ્થળઃ અમદાવાદ


વાડજમાં ઢોર પકડ પાર્ટી અને ઢોર માલિકો


વચ્ચે ઘર્ષણ,વૃદ્ધ ઢોર માલિકનું ઘર્ષણમાં મોત


તારીખઃ 31 ઓગષ્ટ 2023


સ્થળઃ રાજકોટ


વાણિયાવાડીમાં ઢોર પકડવા જતા ઢોર માલિકોએ


ઘર્ષણ કરી 34 પશુઓને છોડાવી ગયા


તારીખઃ 27 જૂન 2023


સ્થળઃ રાજકોટ


દૂધસાગર રોડ પર ઢોર પકડ પાર્ટી અને


સ્થાનિકો સામસામે આવ્યા


તારીખઃ 13 મે 2023


સ્થળઃ રાજકોટ


ગાંધીગ્રામના ભારતીનગર શેરી નં 1માં


કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ


તારીખઃ 6મે 2023


સ્થળઃ રાજકોટ


ગાંધીગ્રામના ભોનેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં


ઢોર પકડવા જતા ઈંસ્પેકટર સાથે કરાઈ ઝપાઝપી


તારીખઃ 21 જાન્યુઆરી 2023


સ્થળઃ રાજકોટ


જામનગર રોડ પર ઢોર પકડ પાર્ટી અને SRP


જવાનને ઢોર માલિકોએ ગાળો ભાંડતા ઘર્ષણ


રખડતા ઢોરને કારણે મોત


રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, આ સીલસીલો હજુ પણ યથાવત છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરે અનેકનો ભોગ લીધો છે. છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે ફરી ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે.


જયેશ જેઠવા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન ઘોઘા સર્કલ પાસે ઢોર આડું ઉતરતા બાઈક સ્લીપ મારી હતી. જે બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાની લાંબી સારવાર બાદ આજે હોસ્પિટલમાં દમ તોડ્યો છે. મૃતક યુવાન અકવાડા ગામે રહે છે. આ બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ભાવનગરમાં હજી પણ કેટલા નિર્દોષ લોકોના જીવ રખડતા ઢોરના કારણે જશે તે કહેવું મુશ્કેલ છે.