અમરેલીમાં 9 જમાતી આવ્યા, પ્રવેશ આપતાં પહેલા શું કરાઈ તપાસ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2020 10:18 AM (IST)
તબલીગી જમાતના 9 લોકો આંધ્રપ્રદેશથી અમરેલી આવ્યા છે. જોકે, હાલ તો આ તમામને પોલીસે સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન કર્યા છે.
અમરેલીઃ ગુજરાતમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે અમરેલીમાં 9 જમાતી આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તબલીગી જમાતના 9 લોકો આંધ્રપ્રદેશથી અમરેલી આવ્યા છે. જોકે, હાલ તો આ તમામને પોલીસે સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન કર્યા છે. નોંધનીય છે કે, આંધ્રપ્રદેશથી આવેલા જમાતીઓ કાયદેસરની પરમીટ લઈને અમરેલી આવ્યા છે. તેમણે પરમીટ મેળવી હોવાથી તેઓ સ્ક્રીનિંગ સહિતની પ્રક્રિયામાંથી પસાર થઈને આવ્યા હોય તેમને કોરોનાનો ચેપ હોવાની શક્યતા નહીવત છે. આમ છતાં પોલીસતંત્ર દ્વારા તેમને તકેદારીના ભાગરૂપે હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.