રાજકોટ: શહેરમાંથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજો પકડાતા ચકચાર મચી જવા માપી છે.  યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. બોયઝ હોસ્ટેલની બાજુમાંથી ગાંજો મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મારવાડી યુનિવર્સિટી અને કોલેજમાં અંદાજિત 10000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા છે.

Continues below advertisement

 

Continues below advertisement

મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં જ ગાંજાનું વાવેતર થતું હતું. મારવાડી કેમ્પસની અંદર પણ ગાંજાના છોડવા વાવેલા કેમેરામાં કેદ થયા છે. કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવ્યું છે. જે બાદ પોલીસ કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. મીડિયા પહોંચ્યા બાદ મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાવવામાં આવી હતી. આગના ધુમાડાઓમાથી ગાંજાની તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. 

OBC અનામતને લઈને મોટા સમાચાર

ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આયોગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને OBC અનામત અંગેનો રિપોર્ટ સોપ્યો છે.  તમને જણાવી દઈએ કે, 8મી જુલાઇ ૨૦૨૨ના રોજ કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં ‘સમર્પિત આયોગ’ની રચના કરાઈ હતી.  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણે અનામત આપવા ઝવેરી કમિશને રિપોર્ટ તૈયાર કર્યો છે. 11 જિલ્લાઓમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો સૂત્રોનો દાવો છે.  આ ઉપરાંત 500 ગ્રામ પંચાયતોમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો પણ સૂત્રોએ દાવો કર્યો છે. રાજ્યની 49 ટકા અનામત વધે નહિ તે મુજબ OBC સમુદાયને અનામતનો લાભ આપવામાં આવશે.

PM મોદીના ગુજરાત પ્રવાસની તારીખ આવી સામે

PM Modi Gujarat Visit: પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખ સામે આવી છે. 26 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર - તમિલ સંગમ કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજરી આપશે. 17 એપ્રિલે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તમિલનાડુના રાજ્યપાલ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

પીએમએ આજે 71000 લોકોને આપ્યા નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર

આજે 13મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો ધડાકો કર્યો છે, પીએમ મોદીએ એક વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દેશમાં લગભગ 71 હજાર યુવાઓને નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર આપ્યા છે. આ જૉબ ઓફર લેટરનું વિતરણ પીએમ મોદી રોજગાર મેળા અંતર્ગત કરવામાં આવ્યુ છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી આમાં નિયુક્ત થનારા યુવાઓને પણ સંબોધિત કર્યા હતા.