આ અંગે રાજકોટના અધિક કલેક્ટર પરીમલ પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન સમારંભ યોજવા માટે પ્રાંત અધિકારી મંજૂરી આપશે. લગ્નમાં ફક્ત 20 લોકો જ હાજર રહી શકશે. એટલું જ નહીં, મેળાવડા નહીં થઈ શકે. ફક્ત સાદાઇથી જ લગ્ન કરી શકાશે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં ફૂલેકો કે જમણવાર યોજી શકાશે નહીં. નોંધનીય છે કે, જે યુવક-યુવતીઓની સગાઈ થઈ ગઈ હતી અને આ સમય દરમિયાન લગ્ન યોજવાના હતા. પરંતુ લોકડાઉનને કારણે લગ્નો અટકાઈ પડ્યા હતા. તેઓ છેલ્લા દોઢ મહિનાથી લગ્નની રાહ જોતા હતા. હવે કલેક્ટર દ્વારા મંજૂરી મળતા આ લગ્નો થઈ શકશે.