અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ કોરોના વોરિયર્સ એવાં ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગઈ કાલે રાજકોટના 30 નામાંકિત તબીબોને કોરોના થયો હતો. આ પછી આજે સિવિલ હોસ્પિટલમાં બે તબીબો અને ત્રણ નર્સ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના કોરોના વોર્ડમાં સંખ્યા વધવા લાગી છે. ચાર દર્દીઓ ઓક્સિજન પર છે.  RTPCR ટેસ્ટમાં 10 ગણો વધારો થયો છે. રાજકોટની પારીજાત રેસીડેન્સીમાં બંગાળથી આવેલ પરિવારના પાંચને કોરોના થયો છે. 


સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોના કારણે આ ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તબીબો ઉપરાંત તેમના પરિવારજનો અને હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય મેળાવડા યોજાઈ રહ્યા છે. તો સામાજિક કાર્યક્રમો પણ થઇ રહ્યા છે તેના કારણે ચેપ પ્રસરી રહ્યો છે અને તબીબો પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ગઈ કાલે સિવિલ હોસ્પિટલમાં પાંચ તબીબોને કોરોના થયો હતો. આ સાથે જ કુલ છ તબીબોને કોરોના થયો હતો. પબ્લિક રિલેશન ઑફિસર, 3 રેસિડેન્ટ તબીબ અને 2 નર્સિંગ સ્ટાફ સહિત કુલ 6 લોકોને કોરોના થયો હતો. મહત્વની વાત એ કે તમામ લોકો બીજી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. જે વિભાગમાં સંક્રમણ ફેલાયું છે. તે વિભાગના તમામ તબીબોને આગામી 24 કલાકમાં RT-PCR રિપોર્ટ કરાવવા આદેશ કરાયો છે.


અમદાવાદમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રાહત, અમદાવાદ મ્યુનિએ કર્યો આ મહત્વનો નિર્ણય



કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં.સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.


કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.