ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ ગુજરાતમાં મૃત્યુઆંક પણ વધુ છે, ત્યારે આજે ભાવનગરમાં વધુ એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. 72 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત થયું છે. વડવા કન્ટેઇનમેન્ટ વિસ્તારના 72 વર્ષય વૃદ્ધનો કરોનાએ ભોગ લીધો છે. ભાવનગરમાં કોરોના કુલ 102 કેસો અત્યાર સુધીમાં નોંધાયા છે. જેમાંથી 8ના મોત થયા છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે. જેમાંથી 7 લોકોના પ્રાથમિક રીતે કોવિડ-19થી મોત થયા છે. જ્યારે 13 લોકોને કોરોના ઉપરાંત અન્ય બીમારી પણ હતી. અત્યાર સુધીના કેસોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 9592 કેસો નોંધાયા છે. જેમાંથી કુલ 586 લોકોના મોત થયા છે. તેમજ 3753 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે ગુજરાતમાં 5253 એક્ટિવ કેસ છે.