અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના પચપચીયા, ચકરાવા, કંટાળા, બોરળા, આંબલિયાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાક અને કેરીના પાકને નુકશાન થયું છે.
સૌરાષ્ટ્રના ગોંડલ, અમરેલી અને ગીર સોમનાથના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઉનાના તુલસીશ્યામ રેંજના સરહદી ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે કેસર કેરીના પાકને નુકશાન થયું છે.