ગુજરાત કોંગ્રેસના ક્યા નેતાએ કહ્યુંઃ ભાજપમાંથી આવેલા કોઈને પણ સ્થાનિક સ્વારજની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2020 11:18 AM (IST)
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ભાજપથી આવેલ કોઈ પણ આગેવાનને કોંગ્રેસ કોર્પોરેશન ચૂંટણીનો ઉમેદવાર નહીં બનાવે.
ફાઇલ ફોટો.
રાજકોટઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ભાજપથી આવેલ કોઈ પણ આગેવાનને કોંગ્રેસ કોર્પોરેશન ચૂંટણીનો ઉમેદવાર નહીં બનાવે. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપથી નારાજ બાગી સ્થાનિક નેતાઓ કોંગ્રેસ તરફથી ટિકિટની માંગણી કરી રહ્યા છે. ભાજપથી નારાજ આગેવાનો પાંચ વર્ષ કોંગ્રેસ માટે કાર્ય કર્યા બાદ જ ટિકિટ મેળવી શકશે, તેમ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું.