Rajkot Fire Tragedy: ગુજરાતમાં આગની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ સામે આવેલા NCRBના આંકડા પણ ચોંકાવનારા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ ગુજરાત સરકારને સવાલો કરીને ઘેરી છે. ગુજરાતમાં NCRBના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આગથી તાંડવ મચ્યુ છે, પાંચ વર્ષમાં લગભગ 31થી વધુ આગની ઘટનાઓ ઘટી છે જેમાં 3 હજારથી વધુ લોકો ભૂંજાયા હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં અચાનક લાગેલી આગમાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે, આ ઘટનામાં 6 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. 


ટીઆરબી ગેમ ઝૉનના અગ્નિકાંડના પડઘા ગુજરાત બહાર પણ પડ્યા છે. આ ઘટનાને લઇને રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસે સરકારને આ મામલે ઘેરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ સરકાર સામે અગ્નિકાંડ અને સુરક્ષાના મુદ્દે સવાલો કર્યા છે. NCRBના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતાં અકસ્માતમાં 3176 લોકોના મોત થયા છે.


ગુજરાતમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં આગથી થતાં અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018 થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 લોકોના મોત થયા છે. છેલ્લા 5 વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022 માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ ઘટી છે. આ બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેકવાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ ઘટી છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. જેને લઇને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 


 


રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટનામાં પ્રધાનમંત્રીએ સહાયની કરી જાહેરાત, મૃતકનાં પરિવારજનોને 2 લાખ રૂપિયા મળશે


રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતાં. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.


પ્રધાનમંત્રીએ સહાયની કરી જાહેરાત


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ઘટનામાં જીવ ગુમાવનાર ને 2 લાખ રૂપિયાની સહાય કરવાની કરી જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇજગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી સહાય આપવાની જાહેરાત કરી છે.



 


રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.


રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત


આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.


TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું.  અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી.