રાજકોટઃ  શહેરના માલવીય વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ડેરીમાં સામુહિક આપઘાત પ્રયાસની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક જ પરિવારની 3 મહિલા અને એક પુરુષે આપઘાતનો પ્રાયસ કર્યો હતો. પરિવારના ચારેય સભ્યોને સારવાર માટે ખસેડાયા છે. આ ચારેય લોકો દ્વારા ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, આ ચાર શખ્સો અચાનક ડેરી પાસે આવ્યા હતા અને પાણીની બોટલ પીવે એમ ફિનાઇલ પીવા લાગ્યા હતા. જમીન વિવાદને લઈ ચારેય લોકો આવ્યા હોવાની શક્યતા છે. અમને દબાવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે, તેમ દુકાન માલિકે જણાવ્યું હતું. માલવિયાનગર પોલીસે સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આપઘાત પ્રયાસ અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

ડેરીના સંચાલક જગદીશભાઇ અકબરીએ કહ્યું મને જાણ નથી આપઘાત કરનાર કોણ હતા.મને ખબર નથી. ડેરીમાં આવીને ફાઇનલ પીવા લાગ્યા. 


ગુજરાતના આ જાણીતા આંદોલનકારી AAPમાં જોડાશે એવી ચર્ચા, સુરતમાં મનિષ સિસોદીયા સાથે થઈ મુલાકાત


સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગઈ કાલે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે વધુ એક યુવા આંદોલનકારી આપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ નેતાએ ગઈ કાલે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે. 


જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલન કારી પ્રવીણ રામે ગઈ કાલે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી છે અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.


આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે. 


આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.