રાજકોટ: રાજકોટના પીડી માલવીયા કોલેજના ટ્રસ્ટી વસંતભાઈ માલવીયાના મૃત્યુ બાદ બોગસ વીલ બનાવાના મામલે મુખ્ય આરોપી મનોશ શાહ અને વિશાલ શાહે ક્રાઈમ બ્રાન્ચ સામે કબુલાત આપી હતી. શેઠે સહી કરેલા લેટર પેડનો ઉપયોગ બોગસ વીલ બનાવવામાં ઉપયોગ કર્યાની કબુલાત કરી હતી. પ્રિન્સીપાલ જાની અને એક કર્મચારીની કબુલાત બાદ મુખ્ય આરોપીઓએ કબુલાત આપી છે. 800 કરોડની સંપતનીને લઈને રોજે રોજ નવા ખુલ્લાસા સામે આવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.