રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19ના દર્દીઓના સ્વજનોને મળવા માટે રેશ્મા પટેલ આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં પ્રવેશે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. નોંધનીય છે કે, પાટીદાર આંદોલન દરમિયાન રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા. જોકે, આ પછી તેમણે ભાજપ સાથે છેડા ફાડી નાંખ્યો હતો. તેમજ તેઓ એનસીપીમાં જોડાયા હતા.
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, તે એનસીપીના કાર્યકરો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ જઈ રહી છે. તેમના દ્વારા પોલીસ દ્વારા પીછો કરાતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેમને સોશિયલ મીડિયા ફેસબૂક લાઈવ દ્વારા આ માહિતી આપી હતી. જોકે, તે સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. રેશ્મા પટેલે એનસીપીના કાર્યકરોને નજરકેદ કરાયા હોવાનો આક્ષેપ પણ લાગ્વોય હતો.