રાજકોટઃ કયા સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન થયું મોત?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Sep 2020 03:54 PM (IST)
રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના બોસ સ્વામી અક્ષરનિવાસ પામ્યા છે. તેમની કોરોનાની સારવાર ચાલુ હતી.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દૈનિક કેસો પણ સતત વધી રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના બોસ સ્વામી અક્ષરનિવાસ પામ્યા છે. તેમની કોરોનાની સારવાર ચાલુ હતી. નોંધનીય છે કે, ભુપેન્દ્ર સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ સંતોને પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને પહેલી ઓક્ટોબર સુધી મંદિર બંધ કરવાની જાહેરાત પણ કરી હતી.