રાજકોટઃ કુવાડવા હાઇવે પર યુવકની હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. મુકેશ સોલંકી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. પથ્થરના ધા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.


જોકે, યુવકની કોણે હત્યા કરી અને હત્યા પાછળનું કારણ શું છે, તે તો પોલીસ તપાસ પછી જ જાણવા મળશે.