રાજકોટ: આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી છે. એક કરોડની રોકડ પર 2 ટકા ટીડીએસ કપાત સામે વિરોધ નોંધાવીને આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ સુધી બંધ રહેશે. સરકારની આ જાહેરાતની સામે ઠેર ઠેર વિરોધના સૂર ઉઠ્યા છે. ઉતર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.


સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બે દિવસ સોમવાર અને મંગળવારે બંધ રહેશે. 2 ટકા ટીડીએસ કપાવવાના વિરોધમાં યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી 1 કરોડની રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસ કપાશે. મંગળવાર બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે નિર્ણય બાદમાં લેવાશે.

માર્કેટ યાર્ડના વેપારીઓએ સરકારને વિનંતી કરી ટીડીએસ કપાત માંથી માર્કેટ યાર્ડને બાદ કરવા રજુઆત કરી છે.