રાજકોટઃ રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.


લોકમેળાને લઈને રાજકોટ પ્રશાસને તૈયારીઓ શરુ કરી દીધી છે. કલેક્ટરની બેઠકમાં 19 સમિતિઓની રચના કરવામાં આવી છે. દર વર્ષે પાંચ દિવસમાં આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો મેળાનો આનંદ માણે છે.


જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસુ સારું જાય અને સારું વર્ષ થાય એટલે ગ્રામ્ય વિસ્તારના લોકો સૌથી વધુ મેળામાં આવે છે.


Rajkot: આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં કરશે આ મેગા પ્રૉજેક્ટનું લોકાર્પણ, જાણો


Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે. આ દરમિયાન અહીં ખાસ મેગા પ્રૉજેક્ટનું લોકાર્પણ કરશે. માહિતી પ્રમાણે, રાજકોટમાં જસદણના આટકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે. જસદણના આટકોટની પરવાડીયા હૉસ્પીટલમાં આવતીકાલે એક લોકાર્પણ સમારોહ યોજાવવાનો છે. અહીં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવશે. દર્દીઓ માટે હ્રદયરોગ વિભાગ કેથલેબ અને 2 મૉડ્યૂલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.. ભરત બોધરા આ હૉસ્પીટલના સ્વપ્નદ્રષ્ટ્રા રહ્યાં છે. ખાસ વાત છે કે, વજુભાઇ વાળા અને વિજય રૂપાણી પણ આ સમારોહમાં હાજરી આપશે. નરેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા સહિતના મોટા નેતાઓ પણ હાજર રહેશે. આટકોટમાં આવતીકાલે સાંજે સમારોહ અને લોકડાયરો પણ યોજાશે. 


Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.