રાજકોટ: રાજકોટ સૌરાષ્ટ્ર યુનવર્સિટીના વધુ 16 કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અગાઉ 4 કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બે દિવસમાં કુલ 150 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


કોરોના વાયરસનું સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માત્ર 50 ટકા કર્મચારીઓ સાથે યુનિવર્સિટીનું કામકાજ ચાલશે. અન્ય 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરશે.

આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટના ફોર્મનું આવતીકાલથી વેરિફિકેશન નહીં થઈ શકે. પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓએ આગામી 9 તારીખ સુધીમાં ઓનલાઈન ફી ભરવાની રહેશે.