રાજકોટ: કોરોના સંકટ વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થશે. યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ યોજાશે. કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરિક્ષા લેવાશે.


તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે, માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટરન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યુનિવર્સિટી તરફથી હોમીઓપેથી દવાઓ આપશે.

કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પેરચર ચેક કરવામાં આવશે.