રાજકોટ: રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલથી પરીક્ષાનો પ્રારંભ થશે. કોરોનાના વધતા કેસ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ શરુ થશે. સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ કુલ 11 પરીક્ષા કેંદ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.


તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે, માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટરન્સનું પાલન કરવાનું રહેશે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યુનિવર્સિટી હોમીઓપેથી દવાઓ આપશે. કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.

આવતીકાલથી શરૂ થનારી પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનાં 11 કેન્દ્રો પર આશરે 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પેરચર ચેક કરવામાં આવશે. માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.