રાજકોટઃ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 9 નવેમ્બરના રોજ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. તેથી પ્રથમ ટેસ્ટનું ગ્રાન્ડ ઓપનીંગ રાખવામા આવ્યુ છે.  ઓપનીંગ સેરેમનીમા ખાસ હાજર રહેવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ પાઠવવામા આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરી 2014 ના રોજ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમનુ ઓપનીંગ તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું હતું કે ટેસ્ટ મેચમા 5000 જેટલા વિદ્યાર્થીને મેચ નિહાળવા માટૅ ફ્રીમા એન્ટ્રી આપવામા આવશે.