રાજકોટ:  કોળી સમાજના અગ્રણી નેતા કુંવરજી બાળળીયાને જ્યારથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની આજે પ્રેસ કોન્ફરન્સ કરી પહેલીવાર નિવેદન આપ્યું છે. આજે કુંવરજી બાળળીયાએ કહ્યું કે, ગઈ કાલે રાત્રે સમાધાન થઈ ચૂક્યું છે, મારે ચંદ્ર વદન પીઠાવાલા સાથે વાત થઈ ગઈ છે અને હવે કોર્ટમાંથી કેસ પરત ખેંચવામાં આવશે. તો બીજી તરફ જ્યારે આ સમાધાનની વાત અંગે અજીત ભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે કોઈની સાથે વાત થઈ નથી, તેઓ ખોટુ બોલે છે. નોંધનિય છે કે, ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત ભાઈએ કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા. હવે બન્ને આગેવાનો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજના આ બન્ને અગ્રણીઓનો વિવાદ આગામી સમયનાં કેવુ સ્વરૂપ ધારણ કરે તે જોવાનું રહ્યું.

Continues below advertisement

ગુજ્જુ ગર્લ્સની કમાલ: ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે રચ્યો ઇતિહાસIndian Championship:  ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે. વોલીબોલમાં પ્રથમવાર ચેમ્પિયન બનતા સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. વોલીબોલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અડધા કરતા વધુ ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાના હતા. વોલીબોલમાં કોડીનારના સરખડી ગામનો દબદબો યથાવત છે. 6 મહિલા ખેલાડીઓ સરખડીની અને 1 સિંધાજ ગામની હતી. એક જ ગામની ખેલાડીઓ અને નિયમિત સાથે પ્રેક્ટિસ કરતાં હોવાથી અદભુત કોમ્બિનેશન અને તાલમેલ જોવા મળતો હોવાનું તેમના કોચ પરીતા વાળાએ જણાવ્યું હતું. ગુજરાતની ટીમ વિજેતા બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી છે.

ચોમાસુ છ દિવસ વહેલું આવશે, જાણો ગુજરાતમાં ક્યારે મોનસૂનની એન્ટ્રી થશે

Continues below advertisement

હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં હવે એક મહિનાથી પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી વહેલા ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10 જુનથી 15 જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાએ સોમવારે ભારતમાં આગમન કરી લીધુ છે. જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે અંદમાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી ચાર પાંચ દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય, આસામ, અરૂણાચલ પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તિવ્રતા ઘટવાનું પણ શરૂ થઈ જશે. કેરળમાં 27 મેથી એક જુનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગામન થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં દસથી 15 જુન વચ્ચે અને 15થી 20 જુનની વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.