રાજકોટઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી થવાની છે. રાજકોટ ઉપરાંત જામનગરના પણ મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિ થવાની છે. રાજકોટ મહાનગર પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની વરણી પહેલા મનપામાં તામજામ કરવામાં આવ્યો છે. 


મેયર સહિતની ચેમ્બરોને ફુલથી શણગારવામાં આવી છે. મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતની ચેમ્બરોમાં જબરજસ્ત શણગાર કરવામાં આવ્યો છે. રાજકોટ 21માં નવા મેયર પ્રદીપ ડવ બને તેવી શક્યતાઓ છે. સ્ટેન્ડીંગ ચેરમેન પાટીદાર અનુભવી ચહેરો પુષ્કર પટેલ બની શકે છે. ડેપ્યુટી મેયર ડો.દર્શનાબેન પડ્યા બની શકે છે.. તો શાસક પક્ષના નેતા પરેશ પીપળીયા બની શકે છે.

સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે.