કોરોનાના  ઓમિક્રૉન વેરિએન્ટ વિશ્વભર માટે મુશ્કેલીઓનું કારણ બન્યું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનાઓમાં એક વાર લાગતું હતું કે વાયરસ ખતમ  થઈ ગયો છે,  નવો વેરિએન્ટ પહેલાની સરખામણીમાં ઘણી ઝડપથી લોકો સંક્રમિત કરી  રહ્યો છે. તે નિશ્ચિતપણે ચિંતાજનક સ્થિતિ છે. આગામી 2-3 મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે, બધા દેશોને ઓમિક્રૉનને રોકવા માટે  કડક પગલાં લેવાની જરૂર છે.


ખાસ એન્ટીબોડીની ઓળખ


એક્સપર્ટનો દાવો છે કે, ઓમિક્રોન  કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં વધુ  સંક્રમક છે,નેચર જર્નલમાં પ્રકાશિત અધ્યનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે.જે એન્ટીબોડીની ઓળખ કરાઇ છે તે કોરોનાના તમામ વેરિન્યટના તે હિસ્સાને ટારગેટ કરીને બેઅસર કરી શકે છે. જે વાયરસના મ્યુટેશન દરમિયાન પરિવર્તિત નથી થતાં, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ શોધના આધાર પર વેક્સિન અને એન્ટીબોડી ઉપચારને ડિઝાઇન કરવામાં મદદ મળશે,. જે ન માત્ર ઓમિક્રોન પરંતુ ભવિષ્યમાં સામે આવનાર વેરિન્ટ સામે પણ રક્ષણ આપવામાં પ્રભાવી હશે.


વૈજ્ઞાનિકો શું કહે છે


યુનિવર્સ ઑફ વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસિનમાં એસોસિયેટ પ્રોફેસર ડેવિડ વેસ્લર કહે છે કે, આ અભ્યાસ દરમિયાન જોયું કે,  વાયરસના સ્પાઇક પ્રોટિનનાં સાઇટ્સ ટારગેટ કરવાનાર  એન્ટીબૉડીઝને ટૉરગેટ કરીને તેને  આગળ વધારવામાં સફળતા મેળવી છે. જેમકે ઓમિક્રોન વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં 37 ક ઓમિક્રૉન મ્યુટેશનો વિશે જાણ થઇ છે. જે વધુ સંક્રામક અને માનવ કોશિકામાં સરળ રીતે પ્રવેશ કરવા માટે સક્ષમ  છે.


અધ્યયનનું તારણ શું છે


અધ્યયનના શોધના અભ્યાસના સંદર્ભમાં સૌથી પહેલા તે જાણવાની કોશિશ કરી કે, કોશિકાની ઉચ્ચ સ્તર પર પ્રોટીન કે સારી રીતે બાઇન્ડિંગમાં અલગ-અલગ વૈરિએન્ટના સ્પાઇક પ્રોટીન કેટલા સક્ષમ થઇ શકે છે? આ પ્રોટીનને એન્જીયોટેન્સિન બોર્ડિંગ એન્જાઈમ -2 (એસઈઈ 2) રિસેપ્ટર કહે છે.  શોધકર્તાએ જોયું કે, મહામારીની શરૂઆતમાં સામે આવેલા વાયરસમાં જોવા મળતાં સ્પાઇક પ્રોટીનની તુલનામાં ઓમિક્રોનાના સ્પાઇક પ્રોટીન તેનાથી 2.4 ગણા સારી રીતે બાઇડિંહમાં સક્ષમ છે. તેનો અર્થ છે કે,. કોરોનાનું આ વેરિયન્ટ પડકાર રૂપ હોઇ શકે છે.