સુરતઃ ગુજરાતમાં સુરત કોરોનાનું એપી સેન્ટર છે. છેલ્લા કેટલાય દિવસોથી સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો આવી રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગ પછી સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોનાએ ભરડામાં લીધું છે. ટેક્સટાઇલ ઉદ્યોગના વધુ 18 લોકો સહિત રાંદેર ઝોન ના કાર્યપાલક ઇજનેર કોરોનાની ચપેટમાં આવ્યા છે.


અનલોકમાં છૂટછાટ મળતા ડાયમંડ ઉધોગમાં કોરોના સંક્રમણ વધ્યું હતું. હવે ટેકસટાઈલ ઉધોગમાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ટેક્સટાઇલ ઉધોગ સાથે સંકળાયેલા 18 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. 5 કાપડના દુકાનદાર, ટેક્સટાઇલ માર્કેટના 2 વર્કર, મિલેનિયમ માર્કેટમાં 4 સાડીના દુકાનદાર સહિત 9 ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કોરોનામાં સપડાયા છે. રાંદેર ઝોન કાર્યપાલક ઇજેનરને પણ કોરોના પોઝિટિવ નોંધાયો છે.