સુરત: શહેરના વરાછામાં યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા પોલીસ ફરિયાદની ધમકી આપી હતી. ભટારની અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની માલિકે ધમકી આપી હતી. આ ધમકી પછી 26 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી.


જુવાનજોધ દીકરી પંછીલા લુણગરિયાના આપઘાતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પરિવારનો આક્ષેપ છે કે, કંપનીના માલિક સંજય અગ્રવાલે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા પંછીલાએ આપઘાત આપઘાત કર્યો છે. યુવતીના પિતા ચતુરભાઈ છગનભાઈ લુણાગરીયાએ આરોપી સંજય અગ્રવાલને 10 વર્ષની સજા કરવાની માંગ કરી છે. જેમ મારી દીકરીને આપઘાત કરવા મજબૂર કરી છે તેની સજા અચૂક થવી જોઈએ.