સુરત: સુરતમાં મકાનમાં આગ લાગતા પાંચ લોકોના મોત થયા છે.   આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની હતી.  જ્યા મીઠી ખાડી પાસે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હતી. ધૂમાડાના કારણે ગુંગળામણ થવાથી ચાર મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું હતું. આગના ધૂમાડાના કારણે પાંચેય લોકો બહાર ન નીકળી શક્યા.

ઘરમાંથી 10 ટન સાડીનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર અને એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં બચાવ કામગીરી કરનારા પણ ઈજાગ્રસ્ત થયા છે.

આ મકાનમાં સાડી પેકિંગનું કામ ચાલતું હતું. મકાનની અંદર સાડીઓ તથા પેકિંગ માટે વપરાતું ફોમ સામગ્રી રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઇલેક્ટ્રિક સ્વીચબોર્ડમાંથી આગ લાગી હોવાનું અનુમાન છે.  ફોમમાં રહેલા કેમિકલને કારણે ભારે ધુમાડો થયો હતો. 

Continues below advertisement
Continues below advertisement

ધુમાડાના કારણે ઘરમાં રહેલા લોકો ગૂંગળાઈ ગયા અને બહાર નીકળી શક્યા નહીં

આ ધુમાડાના કારણે ઘરમાં રહેલા લોકો ગૂંગળાઈ ગયા અને બહાર નીકળી શક્યા નહીં. આ દુર્ઘટનામાં ચાર મહિલાઓ અને એક નાનકડા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બચાવ માટે સમય જ મળ્યો નહીં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

આગ લાગતા ભયંકર ધુમાડો ફેલાયો

મકાનમાં આગ લાગતા ભયંકર ધુમાડો ફેલાયો હતો. આ કારણે ઘરમાં રહેલા લોકો ગૂંગળાઈ ગયા અને બહાર નીકળી શક્યા નહીં. આ દુર્ઘટનામાં ચાર મહિલાઓ  સહિત એક બાળકનું મોત થયું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે બચાવ માટે સમય જ મળ્યો નહીં. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.  ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.