સુરતઃ માંગળરોળમાં એક સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.  માંગરોળના વાડી ગામે બનેલી આ ઘટનાની જાણ થતાં વનમંત્રી ગણપત વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મૃતક બાળકીના પરિવારને સાંત્વના આપી હતી.