Surat News સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈને આવતી આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલા યુવકનું 10 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં મૂળ ઉત્તરપ્રદેશનો 30 વર્ષીય ટિંકુ અવતાર સિંગ પરિવાર સાથે રહેતો હતો. તેમના પરિવારમાં પત્ની અને એક 4 વર્ષની દીકરી છે. ટિંકું વેલ્ડીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ટિંકુના લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. માતા પિતા અને ભાઈઓ સાથે સુરતમાં ઘણા વર્ષોથી રહેતો હતો.


ગત 17મી સપ્ટેમ્બરના રોજ ટિંકુ કાશીનગરના ગણેશ મંડળના ગણપતિ લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘર નજીક જ આવેલા વેલકમ સેન્ટર નજીક આઇસર ટેમ્પા ઉપરથી પસાર થતા સમયે અચાનક ટિંકુ ટેમ્પા પરથી નીચે પટકાયો હતો. જે બાદ તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટિંકુને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે બાદ ટિંકુ 10 દિવસ મોત સામે લડ્યો હતો. જોકે આખરે યુવકે દમ તોડી દીધો. ગણશ વિસર્જનના રોજ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 


સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગોડાદરામાં ૧૩ વર્ષની વિદ્યાર્થિનીનું બેભાન થયા બાદ મોત થતા અરેરાટી મચી ગઈ છે. શાળામાં જ વિદ્યાર્થિની બેભાન થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બેભાન થયા બાદ તેણીને હોસ્પિટલ લઇ જવાતા હાજર ડોક્ટરે તેન મૃત જાહેર કરી હતી.


 




આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કાપડ વેપારીની દીકરી ધોરણ ૮ મા અભ્યાસ કરતી હતી. આજે ચાલુ ક્લાસ દરમ્યાન બેભાન થતા તેણીની ફોઈને બોલાવીને હોસ્પિટલ લઇ જવાઈ હતી. જો કે, કિશોરીને બચાવી શકાઈ નહોતી. ચાલું ક્લાસમાં કિશોરી પડી જતા ત્યાં હાજર સાથી વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થિનીના મોતનું કારણ પીએમ રીપોર્ટ બાદ જ બહાર આવશે. અચાનક કિશોરીમા મોતના કારણે સમગ્ર સ્કુલમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો બીજી તરફ બાળકીના પરિવાર પર આભા ફાટ્યું છે. બાળકીનું અચાનક મોત કેમ થયું તે પણ એક મોટો સવાલ છે.