ભરુચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં આજે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ,અંકલેશ્વર અને પાલેજ વિસ્તારમાં કેસો નોંધાયા છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૨૪૫ ઉપર પહોંચ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભરુચ જિલ્લામાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 113 એક્ટિવ કેસો હતા. જેમાં આજે13 કેસો ઉમેરાયા છે. તેમજ 106 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. તેમજ ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાથી કુલ 9 લોકોના મોત થયા છે.