સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સુરતમાં રજત તુલા યોજાઈ હતી. સુરતના જૈન સમાજ દ્વારા પાટીલને ચાંદીથી તોલીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.. પાટીલને 101 કિલો ચાંદી સાથે તોલીને આ ચાંદી તેમને અર્પણ કરાઈ હતી. પાટીલે આ તમામ ચાંદી જુદી જુદી સામાજિક સંસ્થાઓને અર્પણ કરવાની જાહેરાત કરી હતી.


આ રજત તુલામાં પાટીલનું વજન 97 કિલો થયું હતું  પરંતુ પાટીલ રજતતુલા સન્માનના કન્વિનર રાજેશ શાહે તેમાં પોતાના તરફથી 4 કિલો ચાંદી ઉમેરીને  101 કિલો ચાંદી અર્પણ કરાઈ હતી. અર્પણ કરાયેલી તમામ ચાંદીનો ઉપયોગ સેવા કાર્યમાં કરવાવાની પાટીલે તાત્કાલિક જાહેરાત કરી દીધી હતી. તમામ 101 કિલો ચાંદીને જૈન સહિત અન્ય સમાજની જુદી જુદી સામાજિક સંસ્થાની યાદી તૈયાર કરી તેમને સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. આ યાદી ટૂંક સમયમાં બહાર પડાશે.