સુરેન્દ્રનગરઃ સુરતથી અમરેલી જતી લક્ઝરી બસને સુરેન્દ્રનગરના ફેદરા પાસે અકસ્માત નડ્યો હતો. આજે વહેલી સવારે 3.30 વાગ્યે ધનાળા પાટીયા પાસે બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ફેદરા ૧૦૮એ ઘટના સ્થળે પહોંચી ઘાયલોની સારવાર કરી હતી.