સુરતમાં કોરોનાથી વધુ 11 લોકોના મોત સાથે આજનો કુલ મૃત્યુઆંક પહોંચ્યો 16 પર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jul 2020 10:59 PM (IST)
સુરતમાં સોમવારે મોડી રાત્રે કોરોનાથી વધુ 11 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરતમાં એક જ દિવસમાં 16 લોકોને કોરોના ભરખી ગયો.
સુરત: સુરતમાં સોમવારે મોડી રાત્રે કોરોનાથી વધુ 11 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરતમાં એક જ દિવસમાં 16 લોકોને કોરોના ભરખી ગયો. અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાથી 355 લોકોના મોત નિપજ્યા છે. સુરત શહેરમાં કુલ મોત 317, સુરત ડિસ્ટ્રિક્ટમાં 38 મોત થયા છે. સુરત શહેરમાં આજે કોરોનાના નવા 207 કેસ અને ગ્રામ્યમાં નવા 80 કેસ નોંધાયા છે. આ સાથે કુલ નવા કેસ 287 નોંધાયા છે. સુરતમાં સોમવારે મોડી રાત્રે કોરોનાથી વધુ 11 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરતમાં એક જ દિવસમાં કુલ 16 લોકોના મોત થયા છે. સુરતમાં વધતા સંક્રમણને લઈને ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોટું નિવેદન આપ્યું છે. જયંતિ રવિએ કહ્યું, સુરતમાં વધતા કોરોનાના સંક્રમણ પાછળનું કારણ મુંબઈથી આવતા જતા લોકોને ગણાવ્યા છે.