સુરતઃ સૂચના છતાં કામ વગર બહાર નીકળતા લોકોની પોલીસે ભણાવ્યો પાઠ, કેવા પકડાવ્યા પોસ્ટર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Mar 2020 09:42 AM (IST)
ગુજરાતમાં 31મી માર્ચ સુધી લોકડાઉન. લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ.
સુરતઃ ગઈ કાલે રાતે 12 વાગ્યાથી ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસ સામે લડવા માટે પોલીસને સહકાર આપવાની અપીલ પણ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે. જોકે, સુરતમાં લોકો દ્વારા આ સૂચનાનો અમલ કરવામાં ન આવતાં પોલીસ દ્વારા તેમને પાઠ ભણાવાયો હતો. કામ સિવાય ઘરની બહાર આવી રહેલા લોકોને પોલીસ દ્વારા 'હું સમાજનો દુશ્મન છું' તેવા પોસ્ટર પકડાવાયા હતા. પોલીસ દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે.