સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શું લેવાયો મોટો નિર્ણય? કઈ પેટર્નથી થશે કામ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jul 2020 09:33 AM (IST)
સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા હવે અમદાવાદની પેટર્ન અપનાવશે. ધન્વંતરી રથમાં રેપીડ ટેસ્ટ કરાશે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હવે કોરોનાનું એપી સેન્ટર સુરત બની ગયું છે અને રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસો આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા હવે અમદાવાદની પેટર્ન અપનાવશે. ધન્વંતરી રથમાં રેપીડ ટેસ્ટ કરાશે. પોઝિટિવ દર્દીને તુરંત આઇસોલેટ કરાશે. સુરતના પૂર્વ કમિશ્નર એમ.થેંનારાસનને વધુ ચાર્જ સોંપાયો છે. સ્થાનિક અધિકારી સાથે બેઠક કરી રણનીતિ બનાવાઈ છે. એટલું જ નહી, સુપરમાં સ્પ્રેડર્સના ટેસ્ટિંગ કરવા કામગીરી સોંપાઈ છે. નોંધનીય છે કે, સુરતમાં કોરોનાના એક્ટિવ કેસો 3 હજારને પાર થઈ ગયા છે. તેમજ રોજ 200થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર ચિંતિત બની છે. તેમજ કેસો કાબૂમાં લેવા પગલા ભરવાના શરૂ કરાયા છે.