સુરતઃ કોરોનાને કારણે કામ બંધ થતાં રત્નકલાકારે પત્નીને વતન જવા કહ્યું, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jul 2020 09:07 AM (IST)
કામધંધો બંધ હોવાથી આર્થિક તંગીના કારણે છેલ્લા 3 દિવસથી ઝઘડા ચાલતા હતા.
NEXT PREV
સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં રત્નકલાકારની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સુરતમાં કોરોના મહામારીને પગલે કામધંધો બંધ હોવાથી પતિએ વતન જવા કહેતા પત્નીએ આપઘાત કરી લીધો છે. કામધંધો બંધ હોવાથી આર્થિક તંગીના કારણે છેલ્લા 3 દિવસથી ઝઘડા ચાલતા હતા. મળતી વિગતો પ્રમાણે અમરોલીના ગોપીનાથજી સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ભાવેશભાઈ હીરામી હીરાના કારખાનામાં કામ કરે છે. લોકડાઉનમાં તેમનું કામ છૂટી ગયું હતું. પત્ની શિલ્પાબેન હીરામીને વતન જવા કહેતા તેમને ના પાડી હતી. રત્નકલાકાર ભાવેશ કામ અર્થે બહાર જતા પત્ની શિલ્પાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. અમરોલી પોલીસે તપાસ આરંભી છે.