ભરૂચઃ ઝાડેશ્વર રોડ ઉપર આવેલી ચાની કેન્ટીનમાં આગ અફરા-તફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં આસપાસના અન્ય સ્ટોર પણ ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓથી સ્ટોલમાં ઊંઘી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ચાની કેન્ટીનમાં આગની ઘટનાને પગલે આસપાસના વેપારીઓના પણ તંબુ ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓના પગલે તંબુમાં રહેલા માલને સુરક્ષિત ખસેડવા લોકોએ દોડધામ મચાવી દીધી હતી.